CNG Vehicles: એક ક્વોલિટી ખરાબ થવા પાછળ ટ્રાન્સપોર્ટ મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દરરોજ નવા પ્રયાસો કરતી જોવા મળે છે, પરંતુ તેમ છતાં હવા પ્રદૂષણ પર કોઈ અસર જોવા મળતી નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વ્હીકલ્સ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ એક નવા અભ્યાસમાં જે બહાર આવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે.


ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT)ના અભ્યાસ મુજબ, CNG વાહનો તમને લાગે છે તેના કરતા વધુ પ્રદૂષણ ફેલાવે છે. અભ્યાસ દર્શાવે છે કે PUC પરીક્ષણ પાસ કરી હોવા છતાં ઘણા વાહનો હજી પણ તેમના ઉત્સર્જન ધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને ખાસ કરીને શિયાળામાં રસ્તાઓ પર વાહનોની સતત વધતી સંખ્યા આ સમસ્યાને વધુ વધારી રહી છે.


સીએનજી વાહનો વિશે અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?


આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તે જાણી શકાય કે આ વાહનો ખરેખર કેટલું ઉત્સર્જન કરે છે. અભ્યાસ મુજબ રસ્તા પર ચાલતા વાહનોમાંથી ઉત્સર્જન લેબ ટેસ્ટમાં નોંધાયેલા ઉત્સર્જન કરતાં ઘણું વધારે છે. સારી માઈલેજ માટે CNG વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં CNGની કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા લગભગ અડધી હતી પરંતુ હવે સમયની સાથે CNGની કિંમત પણ વધી રહી છે.                                      


અભ્યાસમાં જણાવાયું છે કે CNG વાહનો હાઇ લેવલ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)નું ઉત્સર્જન કરે છે. અત્યાર સુધી CNG વાહનોને સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે આ નવા અભ્યાસે આ ધારણાને પડકારી છે. BS-6 CNG ટેક્સીઓ અને હળવા માલસામાનના વાહનો ખાનગી વાહનો કરતાં અનુક્રમે 2.4 અને 5 ગણા વધુ નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરે છે.   


આ પણ વાંચોઃ


મહિન્દ્રા સ્કોર્પિયો 1 લીટર પેટ્રોલ કે ડીઝલ પર કેટલી માઈલેજ આપશે? જો તમે તેને ખરીદવા જઈ રહ્યા છો તો અહી જાણો તમામ વિગતો