અગાઉ કેંદ્રીય નાંણા મંત્રી અરૂણ જેટલી ગુરુવારે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ઉપનેતા આનંદ શર્મા સાથે મુલાકાત પછી સરકાર જીએસટી બિલ મુદ્દે આશાવાદી બની છે. ખાસકરીને રાજ્યસભામાં કોંગ્રેસ આ બિલને રોકવામાં સફળ રહી છે. જો કે કોંગ્રેસ તરફથી અત્યાર સુધી આ બિલ વિશે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. સરકાર તરફથી કહેવું છે કે આઝાદ અને શર્મા સાથે તેમની વાતચીત સારી રહી છે.
બીજી બાજુ, ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી જીએસટી બિલ સહિત ઘણા મુદ્દા પર પોતાની રણનીતિ તૈયાર કરવા માટે ચર્ચા કરી હતી.