Amarnath Yatra Latest Update: કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બે વર્ષ બાદ શરૂ થવા જઇ રહેલી અમરનાથ યાત્રા માટે શુક્રવારે સુરક્ષા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરી. આ મીટિંગમાં ફેંસલો કરવામાં આવ્યો કે કમ કે કમ 12,000 અર્ધસૈનિક દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાન ડ્રૉન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે. 


અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે. આ યાત્રા વર્ષ 2021 અને 2020 માં કોરોના વાયરસના કારણે ન હતી થઇ શકી. વર્ષ 2019માં બંધારણની અનુચ્છેદ 370ની મોટાભાગની જોગાવાઇઓ ખતમ કર્યા પહેલા આ યાત્રાને નક્કી સમયથી પહેલા ખતમ કરી દેવામાં આવી હતી. 


અધિકારીઓએ બતાવ્યુ કે ગૃહ સચિવે અર્ધસૈનિક દળો અને જમ્મ-કાશ્મીર તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરી. તેમને બતાવ્યુ કે પહેલગામ અને બાલટાન યાત્રા માર્ગોમાં જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળોના 10,000 જવાનો તૈનાત કરવામાં આવે તેવી સંભાવાના છે. આ યાત્રામાં ત્રણ લાખ શ્રદ્ધાળુઓ સામેલ થવાની સંભાવના છે. અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે. 


આ પણ વાંચો.............


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી


વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી


Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં


Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત


... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે


રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી