નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક પોલીસ જવાને ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે બની છે. પોલીસના જણાવ્યા મુજબ, પશ્ચિમ દિલ્હીના જખીરા ફ્લાયઓવર પાસે પીસીઆરમાં તૈનાત પોલીસકર્મીએ ખુદને ગોળી મારી હતી. જેમાં તેનું મોત થયું હતું. મૃતક પોલીસ કર્મીની ઉમર 50 વર્ષ હતી.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, એએસઆઈએ પીસીઆર વાનમાં પોતાની છાતીમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. વધુ ઈન્વેસ્ટિગેશન ચાલુ છે. એએસઆઈ ઝખીરા ફ્લાયઓવર નજીક ડ્યૂટી પર હતો.



ફાયરિંગનો અવાજ સાંભળીને પોલીસકર્મી પીસીઆર વાન નજીક પહોંચ્યા ત્યાં એએસઆઈ લોહીથી લથબથ હતા. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ મૃત જાહેર કર્યા હતા.

Coronavirus ના વધતા કેસને લઈ સરકાર થઈ એલર્ટ, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કહી આ વાત

IPL 2021: કોરોનાએ વધાર્યું BCCIનું ટેન્શન, આઈપીએલ.....