Andhra Pradesh Political Turmoil:  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો કે જગનમોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન તિરુમાલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ઉપલબ્ધ તિરુમાલા લાડુ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે તિરુમાલા મંદિર હિન્દુ સમુદાયના લોકો માટે પવિત્ર પૂજા સ્થાનોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ઘણા સમયથી તિરુમાલામાં આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને ફરિયાદો આવી છે.


લાડુ માટે શુદ્ધ ઘીનો ઉપયોગ તાત્કાલિક અસરથી લાગુ કર્યો


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, જગન સરકારે તિરુમાલાના દરેક પાસાને નષ્ટ કરવાનું કામ કર્યું. ખૂબ જ ધૃણા અને દુઃખ સાથે કહેવું પડે છે કે તિરુમાલા લાડુ તૈયાર કરવા માટે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે ઉત્પાદનની ગુણવત્તા સંપૂર્ણપણે બગડી ગઈ હતી. અમે સત્તામાં આવતાની સાથે જ લાડુ માટે શુદ્ધ ઘીનો ઉપયોગ તાત્કાલિક અસરથી લાગુ કર્યો.


મચ્યો હંગામો


લાડુ બનાવવામાં ચરબીનો ઉપયોગ થતો હોવાના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આક્ષેપ બાદ તીર્થયાત્રી સમુદાયમાં હંગામો મચી ગયો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મામલો ખૂબ ગંભીર બની શકે છે. સાથે જ આ મામલે તપાસની માંગ પણ ઉઠવા લાગી છે. આ દાવા પછી હિન્દુ મતદારોમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસની છબીને પણ ભારે નુકસાન થઈ શકે છે.


કયું ઘી વપરાય છે?


આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે તિરુમાલા પ્રસાદમ માટે શુદ્ધ નંદિની કંપનીના ઘીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. અહેવાલો અનુસાર, અગાઉની રાજ્ય સરકારે આ ઘીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શુદ્ધ નંદિની કંપનીના ઘીનો ઉપયોગ કર્યા બાદ પ્રસાદમની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. નોંધનિય છે કે, તિરુમાલા  મંદિરમાં દર વર્ષે લાખો લોકો દર્શને આવે છે. હિન્દુ સમાજના આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર, તેથી આવનારા સમયમાં આ મામલો વધુ ગરમાશે તેમાં નવાઈ નથી.


આ પણ વાંચો...


One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે