અરવિંદ સુબ્રમણ્યને આંતરાષ્ટ્રીય મોનીટરી ફંડ (IMF)ની ભારતીય કચેરીના પૂર્વ પ્રમુખ જોશ ફેલમૅન સાથે મળી લખેલા નવા સંશોધનપત્રમાં કહ્યું છે કે ભારતની અર્થવ્યસ્થામાં આ સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનબીએફસી, રિયલ એસ્ટેટ, વગેરે જેવા ચાર ક્ષેત્રોની કંપનીઓની બેલેન્સશીટ અથવા ખાતાવહી સમસ્યાઓ સામે બાથભીડી રહી છે.
હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના આંતરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર માટે તૈયાર કરેલા પેપરમાં અરવિંદે લખ્યું છે કે આ સુસ્તી અસાધારણ છે. ભારતમાં ઉંડી આર્થિક સુસ્તી છે. એવું લાગી રહ્યું છે કે અર્થવ્યવસ્થા ICUમાં જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓનું વધતું જતું દેવું બૅન્કો માટે ચિંતાજનક છે.
ટવીન બેલેન્સસીટની બીજી લહેરનો સામનો ભારત કરી રહ્યો છે તે કોઈ સામાન્ય મંદી નથી પણ મહામંદી છે. અર્થવ્યવસ્થાને અત્યંત ઉંડી સારવારની જરૂર છે.