નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે., કોર્ટે આ કેસના આરોપીઓ લાલકૃષ્ણ અડવાણી, એમએસ જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીને ચુકાદના દિવસે કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

નોંધનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવા મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન , પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ભાજપ નેતા વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત કુલ 32 આરોપી છે. આ અગાઉ તમામ આરોપીઓની સુનાવણી દરમિયાન ઓનલાઇન કોર્ટમાં રજૂ કરાયા હતા.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કેસ સંબંધિત સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો જેથી વિશેષ કોર્ટનો પુરો પ્રયાસ છે કે આ સમયસીમા સુધી કેસનો ચુકાદો આપી દેવામાં આવે.