પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. સાંજે 4 વાગ્યા સુધી મળેવા વલણ અનુસાર એનડીએ આગળ ચાલી રહી છે અને મહાગઠબંધન બીજા નંબરે છે. તેની હારના પણ સમાચાર આવ્યા છે. મહાગઠબંધન માટે માઠા સમચાર છે. આરજેડીના મુખ્ય ચેહરો ગણાતા દિગ્ગજ નેતા અને લાલુ યાદવની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અબ્દુલ બારી સિદ્દીકીની કેવટી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવારે તેમને માત આપી છે.


આ પહેલા સિદ્દિકી બિહારના જ દરભંગા જિલ્લાના અલીનગર પરથી ચૂંટણી લડતા હતા. આ વખતે ચૂંટણીમાં તેમણે પોતાની સીટ બદલી હતી અને પીએમ મોદીને લઈ આપેલા વિવાદીત નિવેદન બાદથી ઘણા ચર્ચામાં હતા.

અબ્દુલ બારી સિદ્દિકીને ભાજપના મુરારી મોહન ઝાએ 8 હજાર મતથી હરાવ્યા હતા.