નવી દિલ્હી: કેબિનેટે ભારત પેટ્રોલિયમ કૉરપોરેશન લિમિટેડમાં સરકારની ભાગીદારીને વેચવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના બીપીસીએલના ખાનગીકરણ કરવાના નિર્ણય વિરુદ્ધ કર્મચારીઓ હવે હડતાળ પર જવા મજબુર બન્યા છે. બીપીસીએલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉરપોરેશન લિમિટેડના 22 હજાર કર્મચારીઓ આગામી 28 નવેમ્બરે હડતાળ પર ઉતરશે.
પેટ્રોલિયમ એમ્પાલઈઝ યૂનિયનના જનરલ સેક્રેટરી બ્રિજમોહને જણાવ્યું કે બીપીસીએલની સાથે એચપીસીએલના કર્મચારી પણ હડતાળમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે 28 નવેમ્બરે બીપીસીએલની તમામ રિફાઈનરી ડેપો અને બૉટલિંગ પ્લાન્ટના તમામ કર્મચારી હડતાળ પર ઉતરશે.


બ્રિજમોહને જણાવ્યું કે લગભગ 10 કર્મચારી યુનિયનોએ હડતાળને સમર્થને આપ્યું છે. બીપીસીએલ અને એચપીસીએલના લગભગ 22 હજાર કર્મચારી હડતાળ પર ઉતરશે. તેના બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

કેબિનેટે બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટનેં મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, કેટલીક PSUsમાં હિસ્સાને 51% થી ઘટાવવાની પણ મંજૂરી અપાઇ છે.

કેબિનેટનો મોટો નિર્ણય, BPCL સહિત આ ચાર સરકારી કંપનીઓને વેચવાની આપી મંજૂરી