Breaking News Live: દિલ્હીમાં ઉપરાજ્યપાલ સામે AAPનો હોબાળો, કાર્યકરો એલજી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. ન્યૂ એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેની ડીલ મહત્વની હોવાનું કહેવાય છે.

gujarati.abplive.com Last Updated: 15 Feb 2023 06:29 PM
કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો

NIAએ કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા વિરુદ્ધ 20 ઓગસ્ટ, 2022 ના રોજ તેની સંડોવણી બદલ IPCની 120B, 121, 121A અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967ની કલમ 17, 18, 18-B અને 38 હેઠળ કેસ નોંધ્યો હતો.  

Bhavnagar: સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરઃ ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. સિહોરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં યુવક-યુવતીએ એકસાથે આત્મહત્યા કરી હતી. યુવક ભાવનગરનો હોવાનું મનાય છે. યુવતી અંગે કોઇ જાણકારી મળી શકી નથી. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. પોલીસ ઘટનાસ્થળ પહોચી હતી અને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

ISISના શકમંદોની શોધમાં NIAએ દેશમાં 100 જગ્યાએ દરોડા પાડ્યા, આતંકી સંગઠન વીડિયો દ્વારા કરી રહ્યું છે ભરતી

NIA Raid: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. યુવાનોની ભરતી કરવા માટે આતંકી સંગઠનો વીડિયોની મદદ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા યુવાનોને વીડિયો દ્વારા બ્રેઈનવોશ કરીને કટ્ટરપંથી તરફ વાળવામાં આવ્યા છે. કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટના સંદર્ભમાં તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.


આતંકવાદ વિરોધી એજન્સી કર્ણાટકમાં 45 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે.

Gandhinagar: પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં થઇ શકે છે ફેરફાર, 13 સભ્યોની કમિટી બનાવાઇ

ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં ફેરફાર થઈ શકે છે. એક એપ્રિલ, 2022ના ઠરાવમાં સુધારા માટે કમિટી બનાવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના સંયુક્ત સચિવના અધ્યક્ષ સ્થાને 13 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઠરાવમાં કયા પ્રકારે ફેરફાર કરવા તેને લઈ 17 ફેબ્રુઆરીએ બેઠક મળશે.


વિભાગના આ ઠરાવ PRE-112012-611065- પાર્ટ-5ની જોગવાઇમાં ફેરફાર થશે. અલગ અલગ કોર્ટ મેટરો થઇ હોવાના કારણે ઠરાવમાં ફેરફાર થશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યુ હતું કે 17 ફેબ્રુઆરીએ મળનારી બેઠકનો એજન્ડી પણ મળી ચૂક્યો છે.

Indian Railwayની હોળી પર પેસેન્જરને મોટી ભેટ, ફેસ્ટિવલ માટે દોડાવાશે સ્પેશિયલ 13 ટ્રેન, જુઓ યાદી

Indian railways big gift:ઉત્તર રેલવેએ 13 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. તેમાંથી 11 ટ્રેનો આનંદ વિહાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીથી દોડશે. આ સિવાય પંજાબ અને હરિયાણાથી બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી કેટલીક ટ્રેનો દોડાવવાની વાત છે. દેશમાં હોળી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રસંગે લાખો લોકો તેમના કાર્યસ્થળથી તેમના વતન જાય છે. જેના કારણે આ પ્રસંગે ટ્રેનોમાં ઘણી ભીડ જોવા મળે છે. આ ભીડને ઘટાડવા માટે ભારતીય રેલ્વે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વખતે પણ ભારતીય રેલવેએ 13 વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની ટિકિટ બુકિંગ બે દિવસમાં શરૂ થશે.

રાજનાથ સિંહ બેંગલુરુમાં ડિફેન્સ ઈનોવેશન પ્રોગ્રામ મંથન 2023નું ઉદ્ઘાટન કરશે

કર્ણાટક: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેંગલુરુ પહોંચ્યા છે, જ્યાં તેઓ ચંદન સિંહ એરફોર્સ કન્વેન્શન સેન્ટર ખાતે વાર્ષિક સંરક્ષણ ઈનોવેશન પ્રોગ્રામ મંથન 2023નું ઉદ્ઘાટન કરશે.

મેનિફેસ્ટો રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે- જે.પી. નડ્ડા

ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ મેઘાલયમાં મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે, તેને રજૂ કરીને ઘણો આનંદ થાય છે. મેઘાલય સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ રાજ્ય છે. રાજ્યમાં સમૃદ્ધિ માટે ઘણો અવકાશ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આતુર છીએ.





નિક્કી યાદવ હત્યા કેસ: મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો

દિલ્હી: નિક્કીના મૃતદેહને પોસ્ટપાર્ટમ માટે રો તુલા મેમોરિયલ હોસ્પિટલથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે.

મુંબઈઃ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશ ફેંકી દીધી

મુંબઈની બાજુમાં આવેલા પાલઘરમાં એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને તેની લાશને બેડની અંદર છુપાવી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ISISના શકમંદોની શોધમાં NIAએ દેશમાં 100 જગ્યાએ દરોડા પાડ્યા, આતંકી સંગઠન વીડિયો દ્વારા કરી રહ્યું છે ભરતી

NIA Raid: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. યુવાનોની ભરતી કરવા માટે આતંકી સંગઠનો વીડિયોની મદદ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા યુવાનોને વીડિયો દ્વારા બ્રેઈનવોશ કરીને કટ્ટરપંથી તરફ વાળવામાં આવ્યા છે. કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટના સંદર્ભમાં તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદ વિરોધી એજન્સી કર્ણાટકમાં 45 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે.



પીએમ મેગા નેશનલ ટ્રાઈબલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે

PM મોદી 16 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે મેગા નેશનલ ટ્રાઈબલ ફેસ્ટિવલ "આડી મહોત્સવ" નું ઉદ્ઘાટન કરશે: વડાપ્રધાન કાર્યાલય





ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ - ભજન ગાયક અનૂપ જલોટા

ભજન ગાયક અનૂપ જલોટાએ આ માંગને આગળ ધપાવતા કહ્યું કે, 'ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ કારણ કે અહીં હિન્દુઓની સંખ્યા વધુ છે.  આઝાદી સમયે ન થયું તો વાંધો નહીં પણ હવે હિંદુ રાષ્ટ્ર જાહેર થવું જોઈએ.’

કેનેડાઃ રામ મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર

કેનેડાના મિસીસોગામાં રામ મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. ભારતના કોન્સ્યુલેટ જનરલે મિસીસૌગામાં રામ મંદિરમાં થયેલી ઘટનાની નિંદા કરી હતી.





બીબીસી ઓફિસમાં ચાલી રહેલા સર્વે અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું...

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ ભારતમાં બીબીસી ઓફિસોના આઇટી સર્વેક્ષણ પર: અમે ભારતીય કર સત્તાવાળાઓ દ્વારા દિલ્હીમાં બીબીસી ઓફિસોની શોધથી વાકેફ છીએ. હું વધુ વ્યાપકપણે કહીશ કે અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ.

ફિજીના રાષ્ટ્રપતિ સાથે વિદેશ મંત્રી એસ જયશંકર

ફિજીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કેટોનીવેરે સાથે નાડીમાં 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સમાં પોસ્ટલ સ્ટેમ્પ અને 6 પુસ્તકોનું વિમોચન કર્યું.





દિલ્હી: PM કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે

આજે દિલ્હીમાં કેબિનેટની મહત્વની બેઠક યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક સવારે 10.30 કલાકે યોજાશે.

બીબીસી ઓફિસો પર સર્વે ચાલુ છે

દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રીના થોડા અઠવાડિયા પછી લેવાયેલી કાર્યવાહીએ વિપક્ષ તરફથી અનેક સવાલો ઉભા કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates' 15th February' 2023: બ્રિટિશ સરકાર બીબીસી ઓફિસોમાં આવકવેરા સર્વેક્ષણ પર નજર રાખી રહી છે. દેશમાં ગરમાગરમીની રાજનીતિનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, કાયદાથી ઉપર કોઈ નથી. સાથે જ કોંગ્રેસે આને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે. વાસ્તવમાં દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રીના થોડા અઠવાડિયા પછી લેવાયેલી આ કાર્યવાહી પર વિપક્ષે એક પછી એક અનેક સવાલો ઉભા કર્યા છે.


મુંબઈમાં બીબીસીની ત્રણ ઓફિસમાં એક સાથે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કર્મચારીઓના મોબાઈલ ફોન પરિસરની અંદર એક જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બીબીસી પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોનું પાલન ન કરવાનો તેમજ નફાની મોટી રકમને જાણી જોઈને ડાયવર્ટ કરવાનો આરોપ છે. જેના કારણે અનેક વખત નોટિસ આપવામાં આવી હતી.


નવી એર ઇન્ડિયા અને એરબસ વચ્ચે ડીલ


પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. ન્યૂ એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેની ડીલ મહત્વની હોવાનું કહેવાય છે. આગામી બે દાયકામાં ભારતને 22,00થી વધુ નવા એરક્રાફ્ટની જરૂર પડશે. બોઇંગનો અંદાજ છે કે 2041 સુધીમાં દેશમાં વાર્ષિક ટ્રાફિક 7%ના દરે વધશે. તમને જણાવી દઈએ કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત રશિયા યુક્રેન યુદ્ધને ઉકેલવા માટે વિશ્વને પ્રેરણા આપી શકે છે.


તુર્કી સીરિયા ભૂકંપ


તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 41 હજારને પાર થઈ ગયો છે. 1 લાખ 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. એક સપ્તાહ બાદ પણ બચાવ કાર્ય ચાલુ છે. સૌથી વધુ વિનાશ તુર્કીમાં થયો છે જ્યાં મૃત્યુઆંક 35 હજાર 418 પર પહોંચી ગયો છે અને 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, સીરિયામાં ભૂકંપની સૌથી વધુ અસર તુર્કીની સરહદે આવેલા વિસ્તારમાં જોવા મળી હતી. મૃતકોનો આંકડો 6 હજારની નજીક છે, લગભગ 14 હજાર ઘાયલ થયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.