કર્ણાટક ફ્લોર ટેસ્ટ: માયાવતીએ કહ્યું- કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ કરશે BSP ધારાસભ્ય
abpasmita.in | 21 Jul 2019 09:45 PM (IST)
માયાવતીએ આજે ટ્વિટ કરી કહ્યું, "બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીએ કર્ણાટકમાં પોતાના બીએસપીના ધારાસભ્યને મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકારના સમર્થનમાં વોટ આપવા નિર્દેશ કર્યો છે."
બેંગલૂરૂ: કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર રહેશે કે જશે, જેના પર કાલે વિધાનસભામાં નિર્ણય થઈ શકે છે. સત્તારૂઢ દળને બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યોની જરૂર છે. ત્યારે બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ધારાસભ્યને કહ્યું છે કે તે કુમારસ્વામી સરકારને પોતાનું સમર્થન આપે. માયાવતીએ આજે ટ્વિટ કરી કહ્યું, "બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીએ કર્ણાટકમાં પોતાના બીએસપીના ધારાસભ્યને મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકારના સમર્થનમાં વોટ આપવા નિર્દેશ કર્યો છે." કૉંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારના 18 ધારાસભ્યો સમર્થન પરત લઈ ચૂક્યા છે. આ 18 ધારાસભ્યોમાં 16 કૉંગ્રેસ જેડીએસના અને 2 અપક્ષ ધારાસભ્યો છે. 16 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.