વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં ચાલી રહેલી ફ્રી રાશન યોજનાને  લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મફત રાશન યોજના આ વર્ષે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી.

Continues below advertisement


યોજનાને  લંબાવવાના નિર્ણય અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 6 મહિના સુધી લંબાવી છે. સપ્ટેમ્બર 2022." તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે."






કોરોના સંકટમાં શરૂ કરવામાં આવી હતી યોજના


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત માર્ચ 2020માં કોરોના સંકટ દરમિયાન કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઘટાડવાનો છે. શરૂઆતમાં PMGKAY યોજના એપ્રિલ-જૂન 2020 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ પછી તેને 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી અને હવે તેને ફરીથી 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી રહી છે.


વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળશે


કોરોના સંક્રમણ બાદ લોકડાઉનને કારણે જીવનનિર્વાહ માટે પરેશાન થયેલા લોકોને સરકારે મફત રાશન યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં મળે છે.


80 કરોડ લોકોને મફત અનાજ


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ ઉપરાંત PMGKAY રાશન આપવામાં આવે છે.