કેન્દ્ર સરકારે કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. કુમાર વિશ્વાસની સુરક્ષા Y કેટેગરીથી વધારીને Y+ કરવામાં આવી છે. હવે તેમને દેશભરમાં Y+ શ્રેણીની સુરક્ષા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી દીધી છે.


કુમાર વિશ્વાસને અત્યાર સુધી ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. Y+ કેટેગરીની સુરક્ષા મળ્યા બાદ CRPF કમાન્ડો તેમની સાથે રહેશે. કુમાર વિશ્વાસની સાથે આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો પણ તૈનાત રહેશે. જેમાં 5 સ્ટેટિક પોલીસ કર્મચારીઓ તેમના ઘરની અંદર અને તેની આસપાસ સુરક્ષા માટે રહેશે. આ સાથે, 6 PSO 3 શિફ્ટમાં તેમની સુરક્ષા કરશે.


સીએમ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા


પંજાબની ચૂંટણી દરમિયાન કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કેજરીવાલ પર ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ વધ્યા બાદ કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પછી તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


દિલ્હીના મુખ્યમંત્રીએ પણ વળતો જવાબ આપ્યો


કુમાર વિશ્વાસના આરોપ પર અરવિંદ કેજરીવાલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે નામ લીધા વિના કહ્યું હતું કે ગાઝિયાબાદમાં એક કવિ છે જેણે કેજરીવાલને આતંકવાદી કહ્યા છે. તેમણે ટોણો માર્યો અને કહ્યું કે મોદીજી, બધી એજન્સીઓ હટાવી દો અને એ કવિને રાખો. હવે એ કવિઓ જ કહેશે કે આતંકવાદી કોણ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું એ આતંકવાદી છું જેનાથી ભ્રષ્ટાચારીઓ ડરે છે.


મોંઘવારીનો માર! છેલ્લા એક વર્ષમાં બટાકા, લોટ, ખાંડ, ઘઉં સહિત તમામના ભાવ વધ્યા, ટામેટાં બમણા મોંઘા થયા, જાણો લેટેસ્ટ ભાવ


Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા


Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું


Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી