નવી દિલ્લીઃ કૉંગ્રેસે કેંદ્રની મોદી સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો છુપાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજવાલાએ કહ્યું હતુ કે, સીએજીએ આ કૌભાંડ પકડ્યું છે. પરંતું કેંદ્ર સરકાર આ મામલમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.


સુરજેવાલાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ભ્રષ્ટાચાર પર જીરો ટૉલરેંસ અને 'હું ખાતો નથી, અને ખાવા દેતોય નથી'ની વાત ખોટી કરે છે. મોદી સરકાર 45 હજાર કરોડ રુપિયાના ટેલીકૉમ કૌભાંડ છુપાવા માંગ છે. સીએજી તપાસમાં આ વાત સાબિત થઇ છે. મોદી સરકાર 6 ટેલિકૉમ કંપનિયોંને દંડ લેવાની જગ્યાએ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.