નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી આ મહામારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઈ છે. મંત્રાલયના અનુસાર અત્યાર સુધી 14 હજાર 378 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 480 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1992 લોકો સાજા પણ થઈ ગયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 43 લોકોના મોત થયા છે.



કોરોના વાયરસથી કયા રાજ્યમાં કેટલા મોત થયા ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 201 લોકોનાં મોત થયા છે. મધ્યપ્રદેશમાં-69, ગુજરાતમાં 48, તેલંગણામાં 18, દિલ્હીમાં 42, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળ 10, કર્ણાટકમાં 13, ઉત્તર પ્રદેશ 14, કેરળ-3, જમ્મુ-કાશ્મીરમાં 5, આંધ્રપ્રદેશ 14, બિહાર -2, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત અને તમિલનાડુમાં 15નાં મોત થયા છે.
કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?

આંધ્રપ્રદેશ- 572, અંદમાન નિકોબાર-12, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-83, ચંદીગઢ-21, છત્તીસગઢ-36, દિલ્હી-1707, ગોવા-7, ગુજરાત- 1272, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -36, જમ્મુ કાશ્મીર-328, ઝારખંડ-33, કર્ણાટક- 359, કેરળ-396, લદાખ-18, મધ્યપ્રદેશ-1310, મહારાષ્ટ્ર- 3323, મણિપૂર-2, મેઘાલય-9, મિઝોરમ-1, ઓડિશા-60, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1229, તમિલનાડુ-1323, તેલંગણા-766, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-40, ઉત્તર પ્રદેશ-849 અને પશ્ચિમ બંગાળ-287 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.