નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ આ ટ્વિટ કરીને જાણકારી આપી છે.


અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું, શરૂઆતના લક્ષણો જોવા મળ્યા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પણ ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી વિનંતી છે કે જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે આઇસોલેટ થઈ જાય અને તપાસ કરાવે.



અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી અત્યંત સક્રિય હતા અને ગયા બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠક નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મોદી સરકારના તમામ વરિષ્ઠ પ્રધાનો પણ આ બેઠકમાં હાજર હતા તેથી મોદી સહિતના તમામ પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. સાવધાની ખાતર તમામ પ્રધાનોનો કોરોના ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.

અમિત શાહને દિલ્હીમાં કોરોનાને નાથવા માટેની જવાબદારી સોંપવામાં આવી પછી તેમણે સતત બેઠકો કરી હતી. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી શાહને આ બેઠકો દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા છે. અમિત શાહ છેલ્લા એક મહિના દરમિયાન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ બહુ ફર્યા છે તેના કારણે પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારાતી નથી.

અમિત શાહને કોરોના થતાં નરેન્દ્ર મોદી અને ક્યા કેન્દ્રીય પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ?

ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?