નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે નોકરી શોધનારા લોકો માટે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના મહામારીથી બહાર આવ્યા બાદ મોટાભાગના ક્ષેત્રોના અધિકારીઓ અને કર્મચારીઓ (73 ટકા)નુ માનવુ છે કે કૉવિડ-19ની કોઇ નવી લહેરના કારણે ભરતી પ્રક્રિયા પર કોઇ પ્રતિકુળ અસર નહીં પડે. એક સર્વેક્ષણમાં આ જાણકારી આપવામાં આવી છે. 

Continues below advertisement

સર્વેક્ષણમાં જાણકારી આપવામાં આવી છે કે દેશભરમાં કૉવિડ-19ના કેસોમાં આવી રહેલા ઘટાડાની વચ્ચે 73 ટકા ઉત્તરદાત્તાઓનુ મનવુ છે કે સંક્રમણની કોઇપણ નવી લહેરની તમામ ક્ષેત્રોમાં ભરતી પર કોઇ પ્રતિકુળ અસર નહીં પડે, જ્યારે 27 ટકા ઉત્તરદત્તા ભવિષ્ય વિશે નિશ્ચિત ન હતા, જીનિયસ કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ જાણકારી આપવામાં આવી છે. 

કોની કોની વચ્ચે કરવામાં આવ્યો સર્વે - આ સર્વેક્ષણ, બેન્કિંગ અને નાણાંકીય, એન્જિનીયરિંગ, શિક્ષણ, એફએમસીજી, આતિત્થ, માનવ સંશંધાન સમાધાન, આઇટી, આઇટીઇએસ અને બીપીઓ, લૉઝિસ્ટિક્સ, વિમૂડીકરણ, મીડિયા, તેલ અને ગેસ, ફાર્મા સહિતના જુદાજુદા ક્ષેત્રોના 1,468 અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઓનલાઇન કરવામાં આવ્યો. આ ઉપરાંત સર્વેક્ષણથી જાણવા મળ્યુ કે 69 ટકાથી વધુ ઉત્તરદાતાઓનો વાયરસના નવા વેરિએન્ટ આવવાથી નોકરીની અસુરક્ષાની ભાવના વધવાની આશંકા નથી. એવુ પુછવા પર કે શું નવા વેરિએન્ટનો ડર વધુ હાનિકારક હોઇ શકે છે, 71 ટકાથી વધુએ કહ્યું કે એટલો ગંભીર નહીં હોય. 

Continues below advertisement

આ પણ વાંચો.......... 

Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી

યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?

શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો

VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો

24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન

Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ