મુંબઇઃ ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બીડની પરલી જિલ્લા કોર્ટે મનસેના વડા રાજ ઠાકરે વિરુદ્ધ વધુ એક બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. રાજ ઠાકરે વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સામે IPCની કલમ 143, 109, 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.






લાઉડસ્પીકર વિવાદ કેસમાં મહારાષ્ટ્રની સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને લઈને ચર્ચામાં છે.


શું છે વિવાદ?


મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિશે કહ્યું હતું કે જો મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો જવાબ આપવામાં આવશે. વાસ્તવમાં મુંબઈની મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે લગાવેલા લાઉડસ્પીકરોને હટાવવાની માંગ સૌપ્રથમ ભાજપના નેતાઓએ ઉઠાવી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં રાજ ઠાકરે તેની માંગ કરી રહ્યા છે.


મસ્જિદ પરના લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે નમાઝ માટે રસ્તા અને ફૂટપાથની શું જરૂર છે? ઘર પર પઢો. જો તેઓ અમારી વાત નહી સમજે તો તમારી મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે અમે આ મુદ્દે પાછળ હટીશું નહીં.


 


LIC IPO News: જે લોકો LIC IPO માં અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર, આ અઠવાડિયે તેઓ…..


DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...


ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ


COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....