સમગ્ર દેશમાં કોરોના રસીકરણો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કામાં કોને રસી આપવામાં આવશે અને કોને રસી નહીં આપવામાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી દીધી છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર કોરોના રસીને અને અનેક અફવાઓ અને ભ્રામક તથ્યો વાયરલ થઈ રહ્યા છે. 


સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અપરિણીત યુવતીઓ રસી લેશે તો તે માતૃત્વ ધારણ નહીં કરી શકે છે. નિમોનિયા જેવી શ્વાસની બીમારી હોય તેમણે રસી ન લેવી જોઈએ. દારૂ, સિગરેટ, તમાકુનું સેવન કરતાં હોય તેમણે રસી ન લેવી જોઈએ. માનસિક અને ન્યૂરલ બીમારી હોય તેમણે પણ રસી ન લેવી જોઈએ. ડાયાબિટીસ અને કેન્સરના દર્દીએ પણ કોરોના રસી ન લેવી જોઈએ જો તે લેશે તો તેમનું મોત થઈ શકે છે. આવી અનેક અફવાઓ વાયરલ થઈ રહી છે જેને લઈને હવે સરકાર તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારી એજન્સી પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ અફવાને ફગાવી દીધી છે. 






પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે શું કહ્યું


PIB Fact Check તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિાય પર શેર કરવામાં આવી રહેલ ભ્રામક ગાઈડલાઈન્સમાં કરવામાં આવેલ દાવા ખોટા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને કોરોના રસી લેવા પર આડ અસર થઈ શકે છે. PIB લોકોને આગ્રહ કરે છે કે Covid Vaccine સંબંધિત યોગ્ય જાણકારી માટે પ્રમાણિક સ્ત્રોત પર જ વિશ્વાસ કરે. 


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.