કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાએ 20 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજ્યમાં 7, 11 અને 12 સપ્ટેમ્બરે સંપૂર્ણ લોકડાઉન રહેશે. મંત્રીમંડળની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી.


રાજ્યની કેબિનેટ બેઠક દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડનું પાલન કરીને મેટ્રો રેલ સેવા ફરી શરૂ થાય તેમ અમે ઈચ્છીએ છીએ. અમે છ હોટ સ્પોટ રાજ્યોથી ઉડાન સેવા પર પ્રતિબંધ હટાવવા માંગીએ છીએ. સપ્તાહમાં ત્રણ વખત સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.



આ ઉપરાંત તેમણે કહ્યું કે, પીએમ કેયર્સ ફંડમાંથી રાજ્યોની ઝડપથી રૂપિયા ફાળવવા જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27,349 છે. જ્યારે 1,14,543 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 2909 લોકોના મોત થયા છે.

ICC ODI Rankings: વન ડેમાં કોહલી, રોહિત શર્માનો અને જસપ્રીત બુમરાહનો દબદબો

C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ  ? જાણો શું છે કારણ ? 

Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત