Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે.
gujarati.abplive.comLast Updated: 26 Sep 2021 11:43 PM
બ્રેકગ્રાઉન્ડ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાએ આંધ્રપ્રદેશના...More
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાએ આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચેની જમીનને અસર કરી છે. આઇએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરના હવામાનશાસ્ત્રીય નિરીક્ષણો અનુસાર, વાદળોએ દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લીધા છે અને આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં ચક્રવાતી પરિભ્રમણની પ્રક્રિયા શરૂ થઈ છે." એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાતની પવનની ગતિ દરિયા કિનારે અથડાતી વખતે 90 કિમી પ્રતિ કલાકની આસપાસ છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 6 કલાક દરમિયાન ચક્રવાત ગુલાબ નબળું પડશે.