પોલીસના જણાવ્યા મુજબ સ્વામીએ મુંબઈ સરકાર દ્વારા કરવામાં આવેલી હરાજીમાં દાઉદ ઈબ્રાહિમની કાર ખરીદી હતી, ત્યારબાદ ગાજીયાબાદમાં આગ લગાવી દિધી હતી. આ વર્ષે જૂનમાં ચાર વ્યક્તિઓ જુનેદ, રોજર, યુસુફ અને મનિષની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તે દક્ષિણપંથી નેતાની હત્યાનું કાવતરૂ ધડી રહ્યા હતા.
પોલીસે દાવો કર્યો હતો કે પુછપરછ દરમિયાન જુનૈદે ખુલાસો કર્યો હતો કે શકીલે તેમને પૈસા આપ્યા હતા અને ચક્રપાણીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે દાઉદની કારને આગ લગાવવા માટે સબક સીખડાવવામાં આવે. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી બે પિસ્તોલ અને 10 ગોળીઓ મળી આવી છે.