Delhi Curfew News: કોરોના મહામારીના કારણે દિલ્લીની હાલત પણ મહારાષ્ટ્રની જેમ ખરાબ થતી જાય છે. જેને લઈ આજે રાતથી આગામી સોમવાર સુધી લોકડાઉન લગાવવામાં  આવ્યું છે.  દિલ્લીના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. 


તેમણે કહ્યું લોકડાઉનથી કોરોના નથી જતો. માત્ર સ્પીડ પર બ્રેક લાગે છે. દિલ્હીની હેલ્થ સિસ્ટમ વધારે દર્દી લઈ શખે તેમ નથી તેથી લોકડાઉન જરૂરી છે. લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વીકેંડ લોકડાઉન જેવા પ્રતિબંધ રહેશે. ઓક્સિજન અને રેમડેસિવિરને લઈ દિલ્લી સરકારે પગલા લીધા છે.



દેશની આર્થિક રાજધાની દિલ્લીમાં (Delhi Corona Cases) દર ત્રીજો વ્યક્તિ પોઝિટિવ છે. ગઈકાલે દિલ્લીમાં 25,467 નવા કેસ આવ્યા હતા. દિલ્લીમાં સંક્રમિતોની સાથે મૃત્યુઆંક પણ સતત ઉંચે જઇ રહ્યો છે. અહીં દર ત્રીજ વ્યક્તિનો  રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજધાની દિલ્લીમાં કોરોના બેકાબૂ થતાં મુખ્યમંત્રી કેજરીવાલે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.દર્દીઓને પુરતી સારવાર સમયસર મળી રહે માટે ઓક્સિજન બેડ વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.


દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતાં કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Governent) કેન્દ્નને મદદ માટે અપીલ કરી છે. કેજરીવાલ સરકારે હોસ્પિટલમાં હાલ ઓક્સિજન બેડ વધારવાની કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને બિન જરૂરી બહાર ન જવા અને કોવિડના નિયમોનું ચુસ્તાથી પાલન કરવા માટે અનરોધ કર્યો છે.


કુંભમાં (Kumbh Mela 2021) ગયેલા લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. તો કેજરીવાલ સરકારે કુંભમાંથી આવેલા લોકો માટે 14 દિવસનું ફરજિયાત ક્વોરન્ટાઇન આપ્યું છે. બીજી તરફ  કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત આવનારાઓ માટે 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દીધું છે.


દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પ્રમાણે જો તમે 4 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા હોવ કે પછી 18 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કુંભ જઈ રહ્યા છો તો તમારી સંપૂર્ણ જાણકારી, નામ, દિલ્હીનું એડ્રેસ, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત આવવાની તારીખ વગેરે આદેશ જાહેર થયાના 24 કલાકની અંદર દિલ્હી સરકારની સાઈટ પર અપલોડ કરવાનું રહેશે.


દેશના આ મેટ્રો સિટિમાં લાદવામાં આવશે લોકડાઉન ? આજે થશે ફેંસલો


વિશ્વના ક્યા દેશમાં મહિલાઓને અત્યારે પ્રેગનન્ટ નહીં થવા કરાઈ અપીલ, ભારતમાં પણ આ વાત કેમ લાગુ પડી શકે ?