Lal Krishna Advani Viral Post Fact Check: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે. હવે ચોથા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અડવાણીએ રાહુલ ગાંધીને ભારતીય રાજનીતિના નાયક બતાવ્યા  છે.


વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે અડવાણીએ રાહુલ ગાંધીને ભારતીય રાજનીતિના નાયક કહ્યા નથી. સોશિયલ મીડિયા પર તેના નામે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.


શું છે વાયરલ પોસ્ટ ?


એક યુઝરે આ પોસ્ટ વિશ્વાસ ન્યૂઝને મોકલી હતી અને તેનું સત્ય જણાવવા વિનંતી કરી હતી. આ અપીલ બાદ ટીમે તેની તપાસ શરૂ કરી હતી.



ફેસબુક પેઈજ Shailendra Kumar Sen  એ 8 મેના અડવાણીની તસવીર પોસ્ટ (આર્કાઈવ લિંક) કરતા લખ્યું,



“રાહુલ ગાંધી ભારતીય રાજકારણના નાયક  છે: લાલકૃષ્ણ અડવાણી.


(અવધભૂમિ ડોટ કોમ )


7મી મે. 2024.


દેશના પૂર્વ ગૃહમંત્રી ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીએ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અડવાણીએ કહ્યું છે કે ભલે હું ભાજપનો છું, પરંતુ આજે ભારતના એક સામાજિક કાર્યકર તરીકે હું ભારતીય લોકોને કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ છે જે ભારતને એક સારું રાષ્ટ્ર બનાવી શકે છે, કારણ કે તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા છે. જે ભારતના નાગરિકોને નવી દિશા આપી શકે છે. મેં ગૃહમંત્રી તરીકે પણ દેશની સેવા કરી છે. પરંતુ મેં રાહુલ ગાંધી જેવા પ્રભાવશાળી નેતાને રાજકારણમાં ક્યારેય જોયો નથી.


લાલકૃષ્ણ અડવાણીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આજે ત્રીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે. તેમનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જ તેમને મોદી સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના વખાણ કરીને લાલકૃષ્ણ અડવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોટો પડકાર ઉભો કર્યો છે.


ભારતના ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થયું હતું. આ પછી ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે.




તપાસમાં શું સામે આવ્યું ?


વાયરલ દાવાને ચકાસવા માટે, અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર તેના વિશે સર્ચ કર્યું. અમને કોઈપણ વિશ્વસનીય મીડિયા વેબસાઇટ પર આવો કોઈ અહેવાલ મળ્યો નથી જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે.


ત્યારબાદ અમે avadhbhumi  નામના પોર્ટલને સ્કેન કર્યું. તેમાં 8 મેના રોજ આ સમાચાર પ્રકાશિત કરીને આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “પૂર્વ ગૃહમંત્રી ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેઓ ભારતને એક સારું રાષ્ટ્ર બનાવી શકે છે, કારણ કે તેમનામાં એવા નિર્ણય લેવાની ક્ષમતા છે જે દેશવાસીઓને નવી દિશા આપે છે. તેમણે રાજકારણમાં રાહુલ ગાંધી જેવો પ્રભાવશાળી નેતા જોયો નથી. અડવાણીનું આ નિવેદન ત્રીજા તબક્કાની ચૂંટણી દરમિયાન આવ્યું છે.




 


આ દર્શાવે છે કે આ પોર્ટલ તેના સમાચારની વિશ્વસનીયતા વિશે કોઈ પુષ્ટિ કરતું નથી.


આ પોર્ટલ વિશે અમે who.is દ્વારા માહિતી કાઢવામાં આવી હતી. આ મુજબ હોલેન્ડમાં તેની નોંધણી કરવામાં આવી છે.



સર્ચમાં અમને   હિમાચલટૂનાઈટ ડૉટ કૉમ  ( આર્કાઈવ લિંક) પર પણ એક સમાચાર મળ્યા. જેમાં લખ્યું છે કે, "રાજ્ય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ નરેશ ચૌહાણે કહ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પણ સહમત છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશનું ભવિષ્ય છે." 



અમે આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય મયુખ સાથે વાત કરી હતી. તેઓ કહે છે, “કોંગ્રેસ વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે, જે નિષ્ફળ થઈ રહી છે. તેનો જવાબ લોકો વોટિંગ દ્વારા આપશે. અડવાણી દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. જો તે કોઈ નિવેદન આપશે તો પાર્ટી અથવા દીપક ચોપરા તેને જાહેર કરશે.


અમે આ અંગે અડવાણીના નજીકના સાથી અને તેમના જૂના સહયોગી દીપક ચોપરા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “લાલ કૃષ્ણ અડવાણીએ આવું કંઈ કહ્યું નથી. "ન તો તેમણે આવું કોઈ નિવેદન આપ્યું છે કે ન તો તેમણે આ પહેલા ક્યારેય આવુ નિવેદન આપ્યું છે."


ભારતના ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થયું હતું. આ પછી ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે.


અમે અડવાણીના નામે ખોટા દાવા કરનારા ફેસબુક યુઝરની પ્રોફાઈલ સ્કેન કરી છે. બાલાઘાટનો રહેવાસી યુઝર એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે.


શું તારણ નિકળ્યું ?


ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે સોશિયલ મીડિયા પર ખોટા દાવાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના નાયક ગણાવ્યા નથી.


Claim Review : અડવાણીએ રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના નાયક ગણાવ્યા છે.


Claimed By : FB User- Shailendra Kumar Sen


Fact Check : ખોટુ


Disclaimer: This story was originally published by Vishvas News and republished by ABP Live Hindi as part of the Shakti Collective.