મોલ્લાહે અત્યાર સુધીમાં સૌથી મોટું ખેડૂત આંદોલન ગણાવ્યું હતું. મોલ્લાહે કહ્યું કે, ગુરુવારે રામલીલા મેદાનમાં ખેડૂત સભાના આયોજન બાદ શુક્રવારે ખેડૂતોના હુઝુમ રામલીલા મેદાનથી સંસદ માર્ચ કરશે. યોગેન્દ્ર યાદવની સંસ્થા સ્વરાજ ઇન્ડિયાએ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ખેડૂતો ઐતિહાસિક કિસાન મુક્તિ માર્ચ માટે દિલ્હી પહોંચી ગયા છે. આજે ખેડૂતો પગપાળા રામલીલા મેદાન સુધી પહોંચશે. વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઇન્ડિયાના સભ્ય પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે લગભગ એક લાખ ખેડૂતો આ માર્ચમાં સામેલ થશે.
અખિલ ભારતીય કિસાન સભાના સચિવ અતુલ કુમાર અંજાને કહ્યું કે, શુક્રવારે સંસદ માર્ગ પર આયોજીત કિસાન સભામાં આંદોલનને સમર્થન આપી રહેલા વિવિધ રાજકીય દળના નેતા હાજરી આપશે. પીટીઆઇના કહેવા પ્રમાણે, તેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થાય તેવી સંભાવના છે.
ખેડૂતો દેવામાફી અને બીજા કૃષિ ઉત્પાદનોના સમર્થન મૂલ્ય મળવાનો અધિકાર આપવાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ખેડૂતો આ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં દિલ્હી પહોંચ્યા હતા. જોકે, તેમને દિલ્હી અને ઉત્તરપ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં રોકવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિપક્ષી દળોએ ભાજપને ખેડૂત વિરોધી ગણાવી હતી.