મુંબઈ: મુંબઇના કોલાબા વિસ્તારમાં હોટલ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલની નજીક ચર્ચિલ ચેમ્બરમાં આગ લાગવાની ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ લાગવાને કારણે વિસ્તારમાં ધુમાડો થઇ ગયો છે. ફાયર વિભાગે ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.


આ આગમાં એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તની ઓળખ યુસુફ પુનાવાલા અને શ્યામ અય્યર તરીકે થઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે.

આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ધુમાડો થઇ ગયો છે. આ પહેલા 18 જુલાઇએ મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં શાંતિવન બિલ્ડીંગમાં આગ લાગી ગઇ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધી હતો.