નવી દિલ્હીઃ હાલ ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, પણ એક રાજ્ય જમ્મુ-કાશ્મીર એવુ છે જેને ખાસ વિશેષાધિકારો છે. આ રાજ્યને પોતાની અનેક ખુબીઓ છે, પણ જમ્મુ-કાશ્મીરની બે વાતો તેને દેશના અન્ય રાજ્યોથી અલગ બનાવે છે. એક છે અનુચ્છેદ 370 અને બીજી છે અનુચ્છેદ 35એ.


1952માં થયેલા દિલ્હી એગ્રીમેન્ટ અનુસાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ખાસ અધિકારો મળ્યા, ત્યારબાદ 14 મે, 1954એ બંધારણમાં અનુચ્છેદ 35એને જોડવામાં આવી જેનાથી જમ્મુ-કાશ્મીરને બીજા કેટલાક ખાસ અધિકારો મળ્યા, જે દેશના અન્ય રાજ્યોને નથી મળ્યા.


જમ્મુ-કાશ્મીરના પાંચ વિશેષાધિકાર......

1. ડબલ નાગરિકતા
જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ડબલ નાગરિકતા મળી છે. એટલે કે જમ્મુ-કાશ્મીરના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક તો છે, સાથે સાથે તેઓ ભારતના પણ નાગરિક છે. એટલે કે દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક નથી બની શકતા, જમ્મુ-કાશ્મીરમાં જમીન નથી ખરીદી શકતા કે અન્ય કોઇ વ્યવહાર નથી કરી શકતા.

2. ઝંડો અને બંધારણ
જમ્મુ-કાશ્મીરને પોતાનો ખુદનો ઝંડો અને બંધારણ છે. આ દેશના બીજા કોઇ રાજ્ય પાસે નથી. જમ્મુ-કાશ્મીરએ 17 નવેમ્બર 1956માં પોતાનું બંધારણ બનાવ્યુ હતુ.

3. ઇમર્જન્સી નથી લગાવી શકાતી
જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા છે, તે અંતર્ગત ત્યાં આર્થિક ઇમર્જન્સી નથી લગાવી શકાતી.

4. વિધાનસભાનો કાર્યકાળ
દેશની બધી વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળ 6 વર્ષનો છે.

5. મતદાનનો અધિકાર
જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર માત્ર ત્યાના સ્થાયી નાગરિકોનો જ છે. કોઇ બીજા રાજ્યના લોકો અહીં મતદાન નથી કરી શકતા. ચૂંટણીમાં ઉમેદવાર પણ નથી બની શકતા.