India Corona Cases Today:  દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ચોથા દિવસે 16 હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 13,929 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.13 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.85 ટકા છે.  રવિવારે 16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા  હતા. શનિવારે 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા.


દેશમાં એક્ટિવ કેસ 1,13,864 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,223  થયો છે. અત્યાર સુધીમાં 4,28,79,477 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,98,21,197 થયો છે, જેમાંથી ગઈકાલે 1,78,383 ડોઝ આપવામાં આવ્યા હતા.






ઠાકોર મુખ્યમંત્રી માટે ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ-ભાજપ ઠાકોર મુખ્યમંત્રી ના આપે તો   ગામડાંમાં પગ નહીં મૂકવા દઈએ, કોણે કર્યો આ હુંકાર ? 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ વિવિધ સમાજના આગેવાનો તેમના સમાજમાં મુખ્યમંત્રી બને તેવી માંગ કરવા લાગ્યા છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ તેમણે હુંકાર કર્યો કે, 2022માં મુખ્યમંત્રીની ઠાકોરની માંગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે. બાકી અમે ગામડાઓમાં એમને પગ મુકવા દેવાના નથી.


ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ


નવઘણજી ઠાકોરે ઢીમાં મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવીશ. ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે.


ગુજરાતની ધરતી પર સોનાનો સુરજ ઉગાડવો છે


આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે. ઓબીસી, એસટી એસસી સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગાડવો છે. સોનાનો સુરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓ.બી.સી અને એસ.સી એસ.ટી સમાજની સરકાર. આ મારું સપનું છે.


આ પણ વાંચોઃ


Gujarat Assembly Elections 2022: ઠાકોર મુખ્યમંત્રી માટે ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ-ભાજપ ઠાકોર મુખ્યમંત્રી ના આપે તો ગામડાંમાં પગ નહીં મૂકવા દઈએ, કોણે કર્યો આ હુંકાર ?


Mehsana:  મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......


Denmark Firing: ડેનમાર્કના શોપિંગ મોલમાં ગોળીબાર, ત્રણના મોત, હુમલાખોરની ધરપકડ