નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. દેશમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા ત્રણ જ દિવસમાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે.


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, સોમવારે છેલ્લા 24 કલાકમાં  46.951 નવા કેસો નોંધાતા અને 212 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,46,081 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,51,468 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,34,646 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,967 પર પહોંચ્યો છે.


દેશમાં 4 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ આ રાજ્યોમાં દરરોજ કોરોના કેસ વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. તાજેતરમાં એઇમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, મામલામાં વધારો થવાના અનેક કારણો છે. પરંતુ મુખ્ય કારણ લોકોના વલણમાં આવેલો બદલાવ છે. લોકોને લાગે છે કે કોરોના વાયરસ ખતમ થઈ ગયો છે. લોકએ બિનજરૂરી યાત્રાથી બચવું જોઈએ.


Surat News:   ખટોદરા પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતાં ચકચાર


Gujarat Coronavirus: રાજ્યમાં એક-બે નહીં પણ કેટલા પ્રકારના કોરોના સ્ટ્રેઈન જોવા મળ્યા? લોકોમાં ફફડાટ


Corona Cases Spike: કોરોનાનું સંક્રમણ અટકાવવા રૂપાણી સરકારે કયા કયા IAS અધિકારીઓને સોંપી જવાબદારી ?