તેમણે કહ્યું કે, ભારતે 2011માં તે સમયે અનિવાર્યતા લાગુ કરી હતી. તે મુજબ સૌર ઉર્જા ડેવલોપરોને ભારતમાં જ બનેલા સેલ અને મોડ્યુલનો ઉપયોગ કરવાનો હતો. ત્યાર બાદથી ભારતમાં અમેરિકાની સૌર પેનલ વગેરેના નિકાસ પર 90 ટકાનો ઘટાડો થયો હતો.
અમેરિકાના વ્યપાર પ્રતિનિધિ અનુસાર અપેલેટ બોડીએ ભારત સાથેના અમેરિકાના સૌર ઉર્જા મામલામાં ભારત વિરુદ્ધના નિર્ણયને સાચો માન્યો છે. આ પહેલા એક સમિતિએ ભારત વિરુદ્ધના નિર્ણય પર આદેશ આપતા કહ્યું હતું કે, સૌર ફાર્મો સાથે સરકારનો વિજળી ખરીદવાની સમજૂતી આંતરરાષ્ટ્રીય માનકો વિરુદ્ધ છે. આ અનુસાર ભારતના તમામ તર્કોને ફગાવી દેવામાં આવ્યા હતા.