ઈન્દોરઃ નાગરિકતા સંશોધન કાયદાને બંધારણ વિરોધી ગણાવી ઈન્દોર ભાજપના એક મુસ્લિમ કાર્પોરેટરે પાર્ટી સાથે 40 વર્ષ જૂનો સંબંધ તોડવાની શનિવારે જાહેરાત કરી હતી. ઈન્દોરના વોર્ડ નંબર 38થી કોર્પોરેટર ઉસ્માન પટેલે ભાજપના સ્થાનિક મોવડીમંડળને મોકલેલા પત્રમાં કહ્યું, તેઓ પાર્ટીના તમામ પદ છોડી રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ વીડિયો પોસ્ટ કર્યો.


પટેલે વીડિયોમાં કહ્યું, હું પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની પ્રેરાઈને ભાજપમાં આવ્યો હતો. પરંતુ હવે ભાજપ બદલાઈ ગયું છે અને નફરતની રાજનીતિ કરી રહી છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો સીએએ બંધારણ અને મુસ્લિમોની વિરુદ્ધ છે.


તેમણે સીએએ સામે શહેરના વિવિદ વિસ્તારોમાં થઈ રહેલા આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરતા કહ્યું,  મારા સાથીઓ સહિત ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.

INDvNZ: વન ડે શ્રેણી હાર્યા બાદ કોહલીએ આપ્યું વિચિત્ર નિવેદન, કહ્યું- સીરિઝ હારવાથી કંઈ ફેર નથી પડતો કારણકે ચાલુ વર્ષે....

દિલ્હી ચૂંટણીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોટિંગ કર્યા બાદ ફોટો પોસ્ટ કરીને લખ્યું, મારું કામ......

33 વર્ષ બાદ ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે કર્યુ આ કારનામું, જાણો વિગતે