નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ કૉંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટે CBI પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે CBIને નોટિસ રજૂ કરી છે. આ મામલામાં આગામી સુનાવણી 15 ઓક્ટોબરે કરવામાં આવશે.


જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ ઋષિકેશ રોયની પીઠે CBI તરફથી રજૂ થયેલાં સૉલિસિટર જનરલ તુષાર મહેતા પાસે પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું અને આ મામલામાં આગળ સુનાવણી માટે 15 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી.

કૉંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અત્યારે જ્યૂ કસ્ટડી હેઠળ તિહાર જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી 30 સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી. કોર્ટે આ નિર્ણયને પડકારવા માટે ચિદમ્બરે સુપ્રિમ કોર્ટના દરવાજે ગયા છે.