નવી દિલ્હીઃ ઇસરોના વૈજ્ઞાનિક સતત સફળતાપૂર્વક બીજા ચંદ્ર મિશન Chandrayaan-2ને સતત પૃથ્વીની કક્ષા પરથી આગળ વધારી રહ્યા છે અને મિશન શરૂ થયા બાદ ચંદ્રયાને પ્રથમવાર પૃથ્વીની અદભૂત અને રોમાંચક તસવીર મોકલી છે. આ તસવીરોને જોઇને તમે પણ આશ્વર્યચકિત થઇ જશો.






બે ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યાને 27 મિનિટ પર ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વ ચોથી વખત ફેરફાર કર્યો છે. હવે તેની પેરિજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરી દીધી છે. અત્યાર સુધીમાં છ ઓગસ્ટ સુધી પૃથ્વીના ચારેતરફ ચંદ્રયાન-2નું ઓર્બિટ બદલાઇ જશે. 22 જૂલાઇના રોજ લોન્ચિંગ બાદથી ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઇ ચૂકી છે. લોન્ચિંગ બાદ ચંદ્રયાન-2 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વી નજીક 170 કિલોમીટરની ઉંચાઇ પર જીએસએલવી-એમકે 3 રોકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યુ હતું. ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ને લોન્ચ લઇને ઘણા ફેરફાર કર્યા હતા.


ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જૂલાઇથી લઇને 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની આસપાસ ચક્કર લગાવશે. બાદમાં 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચંદ્ર તરફ લાંબી કક્ષામાં યાત્રા કરશે. 20 ઓગસ્ટને જ ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યારબાદ 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્રની ચારે તરફ ચક્કર લગાવશે. પછી 1 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફ યાત્રા શરૂ કરશે.