આઈજી એસપી એ જણાવ્યું કે શુજાત બુખારીના હત્યારા તરીકે પાકિસ્તાની આતંકી સજ્જાદ ગુલ, આઝાદ અહમદ મલિક, મુઝફર અહમદ ભટ અને નવીદ જટની ઓળખ કરવામાં આવી છે.પોલીસે આ તમામ આતંકીઓની તસવીરો પણ જાહેર કરી છે.
જણાવી દઈએ કે નવીન જટ ફેબ્રુઆરીમાં મહારાજા હરિ સિંહ હોસ્પિટલથી પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો. નવીદ જટને આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો નજીકના માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ‘રાઈઝિંગ કાશ્મીર’ ના સંપાદક બુખારીની 14 જૂને પ્રેસ એંક્લેવ સ્થિત તેના કાર્યાલય બહાર ત્રણ લોકોએ તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ હુમલામાં બુખારીના બે ખાનગી સુરક્ષા અધિકારી પણ માર્યા ગયા હતા. શુજાત બુખારી પર હુમલો એ વખતે થયો હતો જ્યારે તે ઈફ્તાર માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા.