આ અગાઉ અકબરે વિદેશ પ્રવાસ બાદ ભારત પરત આવ્યા બાદ પોતાના પર લાગેલા આરોપોને લઇને પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અકબરે આરોપ લગાવનારી પ્રિયા રમાની વિરુદ્ધ દિલ્હીની એક અદાલતમાં માનહાનિનો કેસ પણ કર્યો છે.
દૈનિક ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફ અને પત્રિકા સંડેના સંસ્થાપક સંપાદક રહી ચૂકેલા અકબર 1989માં રાજનીતિમાં આવ્યા અગાઉ મીડિયામાં એક મોટી હસ્તીના રૂપમા ઓળખાતા હતા. તેમણે કોગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા હતા. અકબર 2014માં લોકસભા ચૂંટણી અગાઉ બીજેપીમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ અકબર જૂલાઇ 2016મા વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા.