નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અગાઉ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા રાજીનામું આપી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, બીજેપી અધ્યક્ષ અમિત શાહએ યેદુરપ્પા સાથે વાત કરી છે. જો બહુમત હાંસલ કરવાને લઇને યેદુરપ્પાને વિશ્વાસ નહી હોય તો તેઓ ફ્લોર ટેસ્ટ અગાઉ જ રાજીનામું આપી શકે છે.