મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપવા માટે રાજ્યભવન પહોંચ્યા હતા. તેમની સાથે દિનેશ રાવ ગુંડૂં, રિઝવાન અરશદ અને જી. પરમેશ્વર પણ હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમે સરકાર બનાવીશું અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દેવગૌડા અને કુમાર સ્વામી સાથે વાત કરી છે. કૉંગ્રેસે કહ્યું કે જેડીએસ એ અમારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો છે.
બીજી તરફ બીજેપીના મુખ્યમંત્રીના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ પાસે બે દિવસનો સમય માંગ્યો હતો.