Lakhimpuri Kheri Update: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં નવ લોકોના મોત બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા સામે હત્યા સહિત અનેક ગંભીર ગુનાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી આશીષ મિશ્રા આજે સરેંડર કરી શકે છે.


 આ મામલો સામે આવ્યા બાદ અજય મિશ્રા સ્પષ્ટતા કરતા નજરે પડી રહ્યા છે અને તેમના પુત્રને નિર્દોષ ગણાવી રહ્યા છે. અજય મિશ્રાએ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પ્રથમ દિવસથી, અમે સ્પષ્ટ થઈ ગયા છીએ કે મહિન્દ્રા થાર અમારા નામે નોંધાયેલી છે. અમારા કામદારોને લેવા જતા હતા અને મારો દીકરો બીજા સ્થળે હતો. સવારના 11 વાગ્યાથી સાંજ સુધી તેઓ અન્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. મારો પુત્ર ત્યાં હાજર હતો, ત્યાં હજારો હતા. ત્યાં ફોટા અને વિડિઓઝ છે. જો તમે તેના કોલ રેકોર્ડ્સ અને સીડીઆર, લોકેશન બધું તપાસી શકો છો. હજારો લોકો સોગંદનામું આપવા તૈયાર છે.


આવા લોકો ખેડૂત ન હોઈ શકે


જ્યાં સુધી વાહનની વાત છે, હું સ્પષ્ટ હતો કે મારા ડ્રાઇવરનું મોત થયું હતું, બે કામદારો માર્યા ગયા હતા. એક કામદાર ભાગી ગયો, ત્રણ કામદારો ઘાયલ થયા, અને તે પછી, કાર ત્યાં અટકી ગઈ. તે પછી, કારને ધક્કો મારવામાં આવ્યો અને વાહન તથા ફોર્ચ્યુનર સળગાવાયા. આવા લોકો ખેડૂત ન હોઈ શકે. આ ખેડૂતોમાં છુપાયેલા ઉગ્રવાદીઓ છે.


ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કૂચ કરી રહેલા ખેડૂતોને સૂત્રોચ્ચાર કરતા મંત્રીની એસયુવી  કારે કચડ્યા હોવાનો વીડિયો સત્તાધારી ભાજપના સાંસદ વરુણ ગાંધી સહિતઅનેક લોકોએ સોશિયલ મીડિયા શેર કર્યો છે તેવા જ સમયે આવ્યો છે.


આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ શું કહ્યું ? જાણો વિગત


પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણ ગેસનો બાટલો થયો મોંઘો, જાણો શું છે તમારા શહેરનો ભાવ