નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંક્ટ વચ્ચે કેન્દ્ર સરકારે  મંગળવારે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવેલી અનલોક-5ની ગાઇડલાઇન્સ નવેમ્બરના અંત સુધી પ્રભાવી રહેશે. સરકારે હાલ અનલોકની કોઇ નવી ગાઇડલાઇન્સ નહી જાહેર કરે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરરવામાં આવેલા આદેશ મુજબ, કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી પહેલાની જેમ જ કડક લોક઼ાઉન અમલી રહેશે.


આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વસ્તુના રાજ્યની અંદર કે બહાર પરિવહન માટે કોઈ પ્રતિબંધ નહીં રહે. આ રીતે આવવા જવા માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમિટની જરૂર નહીં પડે.



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કોવિડ કેસ અને 488 લોકોના મોત થયા છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 6,25,857 એક્ટિવ કેસ છે અને 71,01,070 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 79,46,429 પર પહોંચી છે.

કોરોનાના કેસ વધતા દેશમા આ જગ્યાએ આજથી એક અઠવાડિયાનું લાદવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ ખેલાડીને સામેલ ન કરવા પર ભડક્યો હરભજન સિંહ, ટ્વિટ કરીને કહી આ મોટી વાત