નવી દિલ્હીઃ ભાજપ છોડીને આજે અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થસે. તે 11-30 કલાકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને પાર્ટીમાં જોડાશે. શત્રુઘ્ન સિન્હા પટના સાહિબ લોકસભા સીટથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હશે. પાટના સાહિબ સીટથી આ તેમનો બીજો લોકસભા કાર્યકાળ હશે. આ વખતે આ સીટ પરથી ભાજપે તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ જ કારણે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.


આ પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન શત્રુઘ્ન સિંહાના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.



ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં બિહાર એનડીએએ ૪૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પટણા સાહેબથી શત્રુઘ્ન સિંહાને બદલે રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી સિંહા સતત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યાં હતાં.

છેલ્લા કેટલાક દિવસોમાં સિંહાએ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને સીધા જ નિશાન બનાવ્યા હતાં અને રફાલ સમજૂતીમાં તેમની સંડોવણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. સિંહા ભાજપ છોડવાનો ઇશારો આપતા ટ્વિટર પર જણાવ્યું હતું કે 'મોહબ્બત કરનેવાલે કમ ન હોગે, તેરી મેહફિલ મેં લેકિન હમ ન હોંગે'.