સંજય સિંહે કહ્યું કે શિવરાજનું રાજ ઘણું થયું હવે. તેઓએ 13 વર્ષ સુધી સત્તા સંભાળી છે હવે કમલનાથને સમય મળવો જોઈએ. સંજય સિંહે રોજગારીને લઈને સીએમ શિવરાજ સિંહની આકરી આલોચના પણ કરી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં ઇન્વેસ્ટર્સ સમિટ ઘણી થઈ પરંતુ તેનો કઈ ફાયદો થયો નથી. યુવનો હજુ પણ બેરોજગાર છે.
કમલનાથે કહ્યું કે જે વિશ્વાસ અને નિષ્ઠા સાથે સંજય સિંહે ભાજપની સેવા કરી તે જ ભાવના સાથે કૉંગ્રેસમાં પણ કામ કરશે. કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશના વિકાસની લકીર ખેંચવા માટે સંજય સિંહ કૉંગ્રેસમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બર 28ના રોજ યોજાવાની છે અને મતગણતરી 11 ડિસેમ્બરે છે.