78 વર્ષીય પવારના ભાઇના પૌત્ર રોહિત પવાર આ વખતે અહમદનગર જિલ્લાના કરજાત-જામખેડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જ્યારે અજિત પવારના દીકરા પાર્થને માવલ લોકસભા બેઠકમાં શિવસેનાના શ્રીરંગ બનેરૂ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપ અધ્યક્ષનું આ નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત પાર્ટીના લગભગ તમામ ટોચના નેતાઓના નિવેદન અનુરૂપ છે. ફડણવીસ સતત કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં પવારના પ્રભાવને 2024 સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. પાટિલ પુણેના કોથરૂડથી ચૂંટણી લડી રહ્યા છે અને અહી ગઠબંધનના પોતાના સાથી શિવસેનાના પ્રકાશરાવ આબિટકારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા જે કોલ્હાપુરની રાધાનગરીથી ફરીવાર વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે.