મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર કોરોના સંકટની વચ્ચે નવા દિશાનિર્દેશોની સાથે, મનોરંજન ઉદ્યોગને આગળ વધારવા માટે ટૂંકમાં જ શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધિઓ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મામલાના પ્રમુખ સચિવ ડો. સંજય મુખર્જીની વચ્ચે ગુરુવારે રાત્રે થયેલ એક વીડિયો કોન્ફરન્સ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.


ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબલ્યૂઆઈસીઈ)ના મુખ્ય સલાહકાર અશોક પંડિત, પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના અપૂર્વ મેહતા અને મધુ ભોજવાની અને મરાથી ચિત્રપટ મહામંડલના મેઘરેજ ભોસલેએ પોતાની વાત મુકી. વીડિયો કોલના માધ્યમથી શૂટિંગને ફરીથી શરૂ કરવા અને મીડિયા અને મનોરંજન ઉદ્યોગના અન્ય સંબંધિત કાર્યો પર ચર્ચા કરી.

કોન્ફરન્સમાં એ વાત બહાર આવી કે પોસ્ટ પ્રોડક્શન ગતિવિધિઓ તરત જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ સ્વાસ્થ્ય સુરક્ષા માપદંડો અને દિશાનિર્દેશો અનુરૂપ શરૂ થવી જોઈએ.

મનોરંજન ઉદ્યોગની સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક યોગ્ય નાણાંકીય પેકેજ પર કામ કરવામાં આવશે.

રાજ્ય સરકારની માલિકીવાળા પરિસરમાં સિંગર વિંડો પરમિશન સુવિધાની સાથે શૂટિંગ માટે નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસોને નિશુલ્ક આપવા જોઈએ.

ફિલ્મ સિટીમાં આવેલ સેટ પર કોઈ ભાડું ન હોવું જોઈએ, જે લોકડાઉનને કારણે બિનકાર્યક્ષ રીતે પડ્યા છે. લોકડાઉન પૂરું થયા બાદ, ફિલ્મ સિટીમાં પરિસર નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસોને વાજબી દર પર આપવા જોઈએ, જેથી લોકડાઉનને કારણે થનારા નુકસાનનો સામો કરી શકાય. આ દર ત્યાં સુધી લાગુ રાખવા જોઈએ જ્યાં સુધી શહેરમાં સ્થિતિ સામાન્ય ન થઈ જાય.

ઇન્ડસ્ટ્રીના હિતધારકો દ્વારા એક એસઓઆઈ પહેલા જ સોંપવામાં આવ્યું છે. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન (આઈએમપીપીએ)ના અધ્યક્ષ ટીપી અગ્રવાલે કહ્યું કે, ડો. સંજય મુખર્જીએ આશ્વાસન આપ્યું છે કે રાજ્ય સરકારમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં કા ફરીથી શરૂ કરવા સંબંધિત ગંભીર ચર્ચાઓ થઈ રહી છે.