મુંબઈઃ દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.


મુંબઈ પાસે આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. સવારના 9 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરંટ, ફૂડ કોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રાખી શકાશે.


મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 15,617 નવા કેસ નોંધાયા છે અને 56 દર્દીના મોત થયા છે. નાગપુરમાં 15 માર્ચથી એક સપ્તાહનું લોકડાઉન અમલી બનવાનું છે. જેને લઈ આજે નાગપુરની કોટન માર્કેટમાં સવારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને શાકભાજીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા.



કાબૂ સંક્રમણના કારણે પૂણેમાં આંશિક લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે. પુણેમાં મોલ, હોટલ, સિનેમા હોલને સવારે 10 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન અને અંતિમ સંસ્કારમાં પણ 50 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે. તમામ સ્કૂલોને 21 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. અમરાવતી શહેરમાં સવારે 9 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના આદેશ કરાયા છે. હમદનગર જિલ્લામાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ અને સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. જલગાવમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે.


પરભણી જિલ્લામાં 15 માર્ચ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરાયુ છે. નાંદેડ જિલ્લામાં 15 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ તમામ બજાર અને દુકાનો ખુલ્લા રહેશે, ઔરંગાબાદ જિલ્લામાં 17 માર્ચ સુધી તમામ શાક માર્કેટ, બજાર, હોટલ, શાળા અને કોલેજ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.


Team India ના કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો પહેલા કયા દિગ્ગજના નામે હતો આ રેકોર્ડ


રાશિફળ 13 માર્ચ:  આજે છે શનેશ્વરી અમાસ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ