પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બે લફંગાઓએ વિદ્યાર્થીને એસિડ પીવડાવ્યો હતો. જ્યારે તેની તબિયત ખરાબ થતાં સ્કૂલ પ્રશાસને ઘરવાળાઓને સૂચના આપી સમગ્ર મામલાથી હાથ ખંખેરી દીધા હતા.
પીડિતાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, છેલ્લા કેટલાક સમયથી બે યુવકો તેને પરેશાન કરી રહ્યા હતા. સ્કૂલ જતાં અને આવતા સમયે તેની છેડતી કરતા હતા. આ બાબતે સ્કૂલ ટીચર્સને પણ તેણીએ જાણ કરી હતી પણ સ્કૂલ દ્વારા કોઇ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નહોતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કાલકાજી પોલીસ સ્ટેશનમાં કેસ ફાઇલ કર્યો છે. પોલીસે પણ તપાસ હાથ ધરી છે પણ સ્કૂલના સતાવાળાઓ આ મુદ્દે કંઇ જ બોલવા તૈયાર નથી.