નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. ખાતાંની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ક્યું મંત્રાલય મળશે તે જાણવામાં સૌને રસ હતો. મોદીએ અમિત શાહને મહત્વનું ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે.




અમિત શાહને ગૃહ મંત્રાલય મળશે તેવી અટકળો પહેલેથી ચાલતી હતી. નરેન્દ્ર મોદી સરકારની પહેલી ટર્મમાં રાજનાથસિંહ ગૃહ મંત્રી હતા. મોદીએ રાજનાથસિંહને ગૃહ મંત્રાલયથી ખસેડીને સંરક્ષણ મંત્રાલય ફાળવ્યું છે. રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર ટુ છે.