PFI પ્રતિબંધ પર ગુસ્સે ભરાયા ઓવૈસી, કહ્યું- હવે કાળા કાયદાને કારણે દરેક મુસ્લિમ યુવકની ધરપકડ થઈ શકે છે
ઓવૈસીએ કહ્યું, આ પ્રકારનો પ્રતિબંધ ખતરનાક છે. આ દરેક મુસ્લિમ પર પ્રતિબંધ છે જે પોતાના મનની વાત કહેવા માંગે છે.

Owaisi On PFI Ban: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે તેના પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. પીએફઆઈની સાથે તેની અન્ય 8 સંલગ્ન સંસ્થાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'કેટલાક લોકો જે ગુના કરે છે તેમના ખોટા કામનો અર્થ એ નથી કે સંગઠન પર જ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.'
ઓવૈસીએ કહ્યું, આ પ્રકારનો પ્રતિબંધ ખતરનાક છે. આ દરેક મુસ્લિમ પર પ્રતિબંધ છે જે પોતાના મનની વાત કહેવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના કાળા કાયદા, UAPA હેઠળ હવે દરેક મુસ્લિમ યુવકની PFI પેમ્ફલેટ સાથે ધરપકડ કરવામાં આવશે. મેં યુએપીએનો વિરોધ કર્યો છે અને હંમેશા યુએપીએ હેઠળની તમામ કાર્યવાહીનો વિરોધ કરીશ. ઓવૈસીએ કહ્યું કે, આ પ્રતિબંધ સ્વતંત્રતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે જે બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.
ટ્રેન્ડિંગ




દક્ષિણપંથી બહુમતી સંગઠનો પર પ્રતિબંધ કેમ નથી: ઓવૈસી
પ્રશ્ન પૂછતા ઓવૈસીએ કહ્યું કે, PFI પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ ખાજા અજમેરી બોમ્બ વિસ્ફોટના ગુનેગારો સાથે સંકળાયેલા સંગઠનો પર પ્રતિબંધ નથી. શા માટે? સરકારે જમણેરી બહુમતી સંસ્થાઓ પર પ્રતિબંધ કેમ ન મૂક્યો?
લાલુ યાદવે આપ્યું આ નિવેદન...
તમને જણાવી દઈએ કે, અગાઉ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે PFI પ્રતિબંધ પર કહ્યું હતું કે આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ સાથે RSS પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ લોકો મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે અને દરેક બાબતમાં હિન્દુ-મુસ્લિમ કરે છે.