નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પદ્મ એવોર્ડ્સથી સ્પોર્ટ્સના આઠ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.


ભારતની 6 વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકૉમને પદ્મ વિભૂષણથી જ્યારે ઓલંપકિમાં સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.



છ ખેલાડીઓેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભારતી ક્રિકેટર ઝહીર ખાન, ફુટબોલ ખેલાડી બેમબેમ દેવી, પૂર્વ હોકી ખેલાડી એમ.પી. ગણેશ, ઓલિંપિક મેડલિસ્ટ જીતુ રાય સિવાય ભારતીય મહિલા હૉકી કેપ્ટન રાની રામપાલને પદ્મ શ્રી એવાર્ડથી સન્માનિત કરવામાં આવશે.