શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મંગળવારે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. સરહદ પર થયેલી ફાયરિંગમાં એક ગુમ થયેલા બીએસએફ જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે પાકિસ્તાની સેના દ્વારા આરએસપુરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું. તે દરમિયાન ઘાયલ થઈ ગયો હતો અને લાપતા થઈ ગયો હતો. જો કે સેનાએ સર્ચ અભિયાન કરી જવાનને શોધી કાઢ્યો છે.


અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના આતંરરાષ્ટ્રીય સરહદના આરએશપુરા સેક્ટરમાં બની હતી. જ્યારે પાકિસ્તાને બીએસએફની કેટલીક ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું.