અમેરિકાએ ઇરાનના એક ટોચના સૈન્ય અધિકારીની હત્યા કરતા ઇરાન અમેરિકા વચ્ચે ઉભી થયેલી તંગદિલીના કારણએ ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો મધ્ય-પૂર્વની આ તંગદિલી વધશે તો ભારતને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ચાર દિવસથી વધારો થઈ રહ્યો છે.

ભારતને પોતાની તેલની જરૂરિયાત માટે 84 ટકા આયાત પર નિર્ભર રહેવું પડે છે અને વૈશ્વિક કક્ષાએ તેલમા ભાવમાં વધારો થતાં અર્થતંત્રમાં વધુ ઉથલપાથલ થશે. ભાવ વધારાની અસર સીધા દેશના અર્થતંત્ર પર પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી જીવનજરૂરિયાતની તમામ ચીજ વસ્તુ મોંઘી થઈ શકે છે, જેના કારણે મોંઘવારી પણ વધી શકે છે.

અમેરિકાએ કાસીમ સુલેમાનની હત્યા કરતાં વૈશ્વિક કક્ષાએ પણ શેર બજારમાં શેરોના ભાવ ઘટડયા હતા અને આજે ભારતીય શેરબજાર 700થી વધુ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું.


IND vs SL 2nd T20: પ્રથમ મેચ રદ થયા બાદ ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે

સોનાના ભાવમાં કેમ આવ્યો અચાનક ઉછાળો ? જાણો શું છે કારણ

ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો